Advertisement

Main Ad

🌈અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણ વિશેના પ્રશ્નો 🌈


1. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે હોય છે ?

✔સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ

2. સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ?

✔ લોકસભાના સિનિયર સભ્ય

3. લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલી કોરમ હોવું જરૂરી છે ?

✔ 10 %

4. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન (મિનિસ્ટર) રાખી શકે છે ?

✔ 15%

5. રાજ્યના મંત્રીમંડળને હોદાના સોગંદ કોણ લેવડાવે છે ?

✔ રાજ્યપાલ

6. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કયા સ્થળે મળેલ અધિવેશનમાં સૌપ્રથમ 'મૂળભૂત અધિકારો' ની માંગ કરી હતી ?

✔ કરાચી

7. 'ભારતીય સ્વાંતત્ર્ય ધારો' કોને પસાર કર્યો ?

✔ બ્રિટિશ પાર્લામેન્ટ

8. રાજ્યોના વહીવટી કાર્યો કોના નામથી થાય છે ?

✔ રાજ્યપાલ

9. ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌપ્રથમ સચિવાલય ક્યાં બનાવ્યું હતું ?

✔ આંબાવાડી

10. પંચાયતોના હિસાબનું ઓડિટ કયા અધિનિયમ હેઠળ થાય છે ?

✔ ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ-1963

11. ગ્રામ પંચાયતના દફ્તરો કોના હવાલે રાખવામાં આવે છે ?

✔ ગ્રામ પંચાયત મંત્રી

12. જિલ્લા પંચાયતો કયા અધિનિયમ હેઠળ કર્યો કરે છે ?

✔ ગુજરાત પંચાયત અધિનિયમ ,1993

13. તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે ?

✔ જિલ્લા વિકાસ અધિકારી

14. ભારતીય બંધારણનો અંતરાત્મા કોને ગણવામા આવે છે ?

✔ મૂળભૂત સિદ્ધાંતો

15. ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવાનો નિર્ણય કોણ કરે છે ?

✔ રાજ્ય સરકાર

16. ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ...........

✔ રાજકીય અધિકાર છે.

17. આપના બંધારણમાં કુલ કેટલા પ્રકારની રિટનો ઉલ્લેખ છે ?

✔ 5

18. સોલિસિટર જનરલ શુ છે ?

✔ સરકાર પક્ષે કાનૂની સલાહકાર

19. ભારત સંઘમાં એક નવું રાજ્ય ઉમેરવાનું થાય ત્યારે કયા પરિશિષ્ટમાં સુધારો કરવો પડે ?

✔ પહેલા

20. લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ?

✔ સ્પીકર

21. વિરોધપક્ષના નેતાને લોકસભાના કયા હોદ્દાની સમકક્ષ ગણવામાં આવે છે ?

✔ કેબિનેટ મંત્રી

22. ભારત સ્વતંત્ર થયા પછી દર પાંચ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીઓમાં સહુથી પહેલી મધ્યસત્ર ચૂંટણી કયા વર્ષમાં થઈ હતી ?

✔ 1971

23. ભારતનું ચૂંટણી પંચ કોના નિયંત્રણ હેઠળ કામ કરે છે ?

✔ સ્વતંત્ર છે.

24. ગુજરાતમાં સૌપ્રથમ લોકાયુક્તનો કાયદો ક્યારે તૈયાર થયો ?

✔ ઇ.સ. 1986

25. લોકસભા અને વિધાનસભાઓની બેઠકોનું સીમાંકન કરવા માટે સીમાંકન પંચની રચના કયા વર્ષમાં કરવામાં આવી ?

✔ 2002 માં

26. રાષ્ટ્રપતિ પદ ખાલી હોય તે પદ ઉપર ઉપરાષ્ટ્રપતિ ક્યાં સુધી રહી શકે છે ?

✔ 6 માસ

27. ભરતમાં ' રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ ' ની રચના કયા વર્ષે કરવામાં આવી ?

✔ 1993

28. બંધારણનું અર્થઘટન કરવાની આખરી સત્તા કોની છે ?

✔ સર્વોચ્ચ અદાલત

29. 'મેન્ડેમસની રીટ' એટલે ?

✔ પરમાદેશ

30. અંગ્રેજી ભાષાને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કડીરૂપ ભાષાનું સ્થાન બંધારણના કયા અનુચ્છેદથી મળેલ છે ?

✔ 345

31. ભારતની બંધારણ સભામાં અનુસૂચિત જાતિના કેટલા સભ્યો હતા ?

✔ 30

32. કમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ.........

✔ બંધારણીય પદ ધરાવે છે.

33. CAG ક્યારે સેવા નિવૃત્ત થાય છે ?

✔ 65 વર્ષે

34. રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા બંધારણના કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે ?

✔ 155

35. 'પંચાયતી રાજ' પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારિત છે ?

✔ સત્તાના વિકેન્દ્રીકરણ

➖➖➖➖➖➖➖➖➖➖

Post a Comment

0 Comments